એજ વૃંદાવન એજ યમુના તટ પર

29 03 2007

એજ વૃંદાવન એજ યમુના તટ પર,
રાધા ઘેલી છે હજી નટવર નટખટ પર.

હું નથી વાંચી શકતો એના ચહેરાના ભાવ,
વરસોથી એક છબી છે માનસપટ પર.
આપની સાદગી જોઈને મનમાં થાય છે,
લોક અમસ્તા જ મરે છે  સજાવટ પર.
આંખોને ક્યાંથી સ્પશેઁ નજાકત ફુલોની,
એ અનિમેષ ઠરે છે તમારી લટ પર .
ગાતાં ગાતાં હું ખુદ ગીત થઈ જવાનો,
હવે આવી ગયો છું અસલી વટ પર .
વાંસળીથી સૌને ઘેલા કરી શક્યો હોત,
તો મોરપિચ્છ ના રાખત કાન મુગટ પર.
“નારાજ” જીવનની દોડધામ જ એવી છે,
કે તરસ્યા બેસી રહે છે લોક પનઘટ પર.


Actions

Information

5 responses to “એજ વૃંદાવન એજ યમુના તટ પર”

29 03 2007
chetu (12:13:50) :

હું નથી વાંચી શકતો એના ચહેરાના ભાવ,
વરસોથી એક છબી છે માનસપટ પર.
કે તરસ્યા બેસી રહે છે લોક પનઘટ પર.

very nice..!

30 03 2007
ઊર્મિસાગર (12:40:39) :

વાંસળીથી સૌને ઘેલા કરી શક્યો હોત,
તો મોરપિચ્છ ના રાખત કાન મુગટ પર.

nice words…

30 03 2007
nilam doshi (14:42:58) :

હું તો ગભરાઇ ગઇ.??????

વાંસળીથી સૌને ઘેલા કરી શકયો હોત તો…..

સરસ શબ્દો.અભિનન્દન

6 04 2007
atul ro (13:29:59) :

contemporary poem on universal subject

6 04 2007
atul rao (13:31:31) :

i lost A from my name because of you

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>