અજંપો અંતઃકરણનો અમે ખાળી શકયા નથી.
લાગણીને છંદ મહીં અમે ઢાળી શક્યા નથી.
એ પુરાવા માગી રહ્યા છે અમારી મહોબતના
અમે ચાહત બદલે ચાહત માગી શક્યા નથી.
કોણે કહ્યું દીધા વચન નિભાવ્યા નથી અમે?
સમયને હતું જે મંજુર અમે ટાળી શક્યા નથી.
કહી દો સુરજને આજ કોઈ કે રાજહઠ છોડી દે
ધરાની ગરિમા દેવ કોઈ ઓગાળી શક્યા નથી.
ઓ દોસ્તો હળાહળ મેં એવુંજ તો ઝેર પીધું છે
કંઠ નીચે જે શંભુ ભોળા ઉતારી શક્યા નથી.
.
“નારાજ” આમઆદમી છે એ વાત સાચી ઠરી
એ જાતને નીલકંઠ રુપે સ્થાપી શક્યા નથી.
એક એક પંક્તિ હ્રદય દ્રાવક છે..!
ધરાની ગરિમા દેવ કોઇ ઓગાળી નથી શકયા.
સુન્દર .
લાગણી ને છંદમાં ઢાળી નથી શકયા.
ખૂબ સરસ.અભિનન્દન્
એક પંક્તિ યાદ આવી ગઇ…
“કાબુમાં રાખવી’તી અમારે આ લાગણી,
પણ હાથમાં લગામ અમે લઇ શક્યા નહીં”
સ-રસ!
બહુ ઊંડી વેદના બોલી રહી છે બિમલભાઈ…
દિલ હી તો હૈ, ન સંગ-ઓ-ખિશ્ત..
દર્દસે ભર ના આયે ક્યું…
રોએંગે હમ હઝારબાર…
કોઈ હમેં રુલાએ ક્યું…
સુંદર રચના… લખતા રહો…