આ આંસુઓ એ વાતની ગવાહી છે
20 01 2008આ આંસુઓ એ વાતની ગવાહી છે
કે લાગણીઓ હ્રદયની પ્રવાહી છે
કોરી ગાગર જેમ દિલે ક્શું ઝમે સખી
તો પહેલા પ્રેમની પહેલી નિશાની છે
કાંટાળી હશે ભલે વાડ એ વિઁટળાશે
આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !?
છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર
ખુદાના હોવાનીય આવી કહાની છે
“નારાજ” એના રૂપને શું ઉપમા ? શું રૂપક?
જે ઓઢે “નીલુ” એ હર ઓઢણી સુહાની છે
ભાઈશ્રી બીમલ,
કુશળ હશો.”છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર” વાંચતાં એક અભણ અને ધૂની માણસે સંભળાવેલ એક ગહન વાત યાદ આવે છે. શબ્દો છે:”ઈંટ પૂજ્યે જો અલ્લાહ મળતા હોય તો ઈંટવાડો પૂજીએ;અને પથ્થર પૂજ્યે જો ઈશ્વર મળતા હોય તો પહાડ પૂજીએ.” મહાત્મા ગાંધીનું પણ આવું જ કંઈક કથન સ્મરણમાં છે.ખાત્રી કરી લેવા વિનંતી,અન્યથા આપના અધિકાર હેઠળ રદ કરી દેશો.તો તેમનું કથન છે:”ઈશ્વરની પ્રતિમાને માત્ર પ્રતિક માનીને મનમાં તેને નિરંજન નિરાકાર ગણી પૂજા-અર્ચના કરવામાં આવતી હોય તો હું મૂર્તિપૂજક છું;પણ,પ્રતિમાને જ ઈશ્વર માનવામાં આવે તો માની લો કે હું મૂર્તિભંજક છું.”
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
કાંટાળી હશે ભલે વાડ એ વિઁટળાશે
આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !?
sundar shabdo … !!
છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર
ખુદાના હોવાનીય આવી કહાની છે
bahu j sars rachna che…..
http://manzarukho.blogspot.com/
ભાવવાહી ગઝલ… સુંદર શેર થયા છે..
“નારાજ” એના રૂપને શું ઉપમા ? શું રૂપક?
જે ઓઢે “નીલુ” એ હર ઓઢણી સુહાની છે
sundar !
very nice..!! congrats..
superb paheli be line to jaane..ekdum…pravahi j che..vahi ne dil ma j pahochi jaay….
superb paheli be line to jaane..ekdum…pravahi j che..vahi ne dil ma j pahochi jaay
paheli comment ma mara blog nu adress khotu mukayu che
વાહ. સુંદર કવિતા. લખતા રહો.
જલાલ મસ્તાન ‘જલાલ’
૯૮૭૯૧ ૯૭૬૮૬
ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.
‘નારાજ’જી, હું યુવા કવિઓ અંગે અખબારમાં લખવા માગું છું. જો આ૫ ઇચ્છો તો ફોન કરી શકો. આ૫નો નંબર શોધવા છતાં મળ્યો નહિ. ગઝલ અંગે કંઇ ૫ણ કામ હોય તો૫ણ ફોન કરી શકો.
પોલીસતંત્રમાં આટલી લાગણીસભર કવિતા! વાહ. અભિનન્દન.
જલાલ મસ્તાન ‘જલાલ’ ૯૮૭૯૧ ૯૭૬૮૬
ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.